આ વિભાજનની વિભીષિકાની ‘ક્લાશનિકોવ’ ક્ષણ છે!
-શ્રવણ ગર્ગ
એવું માની લેવું ઠીક નથી કે લગભગ 183 અબજ રૂપિયાની હેસિયતવાળા મુંબઈના ફિલ્મઉદ્યોગમાં જે કોઈ મોટા લોકો હાલ ડરેલા છેએમાં આમિર ખાન પણ એક હોઈ શકે છે. આમ તો લોકોની જાણમાં છે કે ફિલ્મ ‘પીકે’માં પોતાના ન્યૂડ પોસ્ટર અને કથિત રીતે દેવી-દેવતાઓની મજાક કરવાને લીધે જ્યારથી આમિર કટ્ટરપંથીઓના નિશાને છે એ ત્યારથી સમજીવિચારીને જ વાત કરવા લાગેલ છે. ‘તારેજમીં પર’ ફેમ અભિનેતાએ લગભગ સાતેક વર્ષ પહેલાં એવું પણ કહી દીધેલ કે અસહિષ્ણુતાના વાતાવરણથી એમની પત્ની (હવેભૂતપૂર્વ) ને ભારતમાં રહેતા ડર લાગે છે અને એ બાળકોને લઈને દેશ છોડવા ઇચ્છે છે. એમના આ કથનને લઈને ત્યારે જબરી બબાલથઈ હતી.
અહીં આમિર ખાનનો ઉલ્લેખ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કારણે જરૂરી બન્યો છે. આમિરે કહ્યું છે કે એ ચોક્કસ આ ફિલ્મ જોશે કેમ કે એઆપણા ઇતિહાસનો એક એવો હિસ્સો છે જેનાથી આપણું હૃદય દુભાયું છે. જે કાશ્મીરમાં થયું પંડિતો સાથે એ હકીકત બહુ દુઃખનીવાત છે.એક એવી ફિલ્મ બની છે એ ટોપિક પર એ ચોક્કસપણે દરેક હિંદુસ્તાનીએ જોવી જોઈએ. દરેક હિંદુસ્તાનીએ એ યાદ રાખવુંજોઈએ કે એક માણસ પર જ્યારે અત્યાચાર થાય છે તો શી લાગણી થાય છે.
વસ્તુઓ અચાનક બદલાઈ રહી છે. જે આમિર ખાન ‘પીકે’ ફિલ્મમાં પીઠથી ન્યૂડ દેખાતા હતા બની શકે કે શૂટિંગ દરમિયાન સામેથીએવા ન રહ્યા હોય, સામેથી દૃશ્યની દર્શકોએ મનોમન કલ્પના કરી લીધી હોય. ફિલ્મનો કેમેરા આમિર ખાનની પીઠનો પીછો કરીરહ્યોહતો, પેટનો નહીં!
ચર્ચાનો વિષય એ છે કે જે બહુચર્ચિત ફિલ્મ આ સમયે આપણી આંખો સામે તરી રહી છે એને આઝાદી (કે વિભાજન)ની કોઈ નવીલડાઈની શરૂઆત માનવી કે એનું સમાપન માનવું ? આ સવાલનો નિકાલ એટલા માટે જરૂરી છે કે મોટી સંખ્યામાં એવા લોકો પણ છેજેઓ બત્રીસ વર્ષ પૂર્વના ઘટનાક્રમ પર સંતાપ કરવા કરતાં વધુ એ ખ્યાલથી થથરી ગયા છે કે હવે આગળ શું થશે. બીજા શબ્દોમાં કહેવુંહોય તો તમામ પ્રકારના વંચિતો અને પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આને પહેલી ફિલ્મ માનવી કે અંતિમ ? એમાં આમિર ખાનનેપૂછી શકાય એવા આ સવાલને પણ સાંકળી શકાય કે આ પ્રકારના કથાનક અને દૃશ્યોવાળી બીજી કોઈ ફિલ્મમાં એમને કામ કરવુંગમશે કે નહીં ?
મેં કેટલાક બિન-પંડિત કાશ્મીરી લોકો સાથે વાત કરી કે જેઓ પોતે તો દેશના બીજા હિસ્સાઓમાં કામ કરી રહ્યા છે પણ એમનાસગાસંબંધીઓ ઘાટીમાં જ છે. જ્યારે જાણવા માગ્યું કે ફિલ્મને લઈને જે ચાલી રહ્યું છે એની પર ઘાટીમાં કેવી રીતની પ્રતિક્રિયા છે તોએમણે કહ્યું કે ફિલ્મ કાશ્મીર ઘાટીમાં તો હજુ જોવાઈ નથી, પણ લોકોએ પરસ્પરની વાતચીતમાં બે પ્રકારની પ્રતિક્રિયા આપી છે !
પહેલી તો એ કે પંડિતોના પલાયનના મુદ્દાને હવે એક રાજકીય હથિયાર બનાવીને લાંબા સમય સુધી ચાલુ રખાશે. બીજી એ કે જો ફિલ્મનેઘાટી છોડી ગયેલા પંડિતોનું પણ સત્તારૂઢ પક્ષના લોકોની માફક જ સમર્થન છે તો પછી માની શકાય કે તેઓ પોતાના ખાલી પડેલા ઘરોમાંપાછા ફરવા નથી માંગતા. બની શકે કે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન કાંઈક પોતાની મહેનત અને બાકીનું સરકારી મદદથી એમણે એટલુંબધું મેળવ્યું છે કે હવે ઘાટીમાં પાછા ફરીને નવેસરથી જીવન શરૂ કરવું એમને વધુ જોખમી કામ લાગે. એમનું એમ પણ કહેવું છે કે જેપંડિતો અત્યારે ઘાટીમાં જ રહી રહ્યા છે એમને ફિલ્મ જોવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી.
ભાજપ સંસદીય બોર્ડની તાજેતરમાં થયેલ બેઠકમાં વડાપ્રધાને ફિલ્મને લઈને બે અગત્યની ટિપ્પણી કરી હતી. એક તો એ કે, : ‘પહેલીવાર કોઈએ જ્યારે મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવી અને પુરસ્કાર મળ્યો તો દુનિયાને ખબર પડી કે મહાત્મા ગાંધી કેટલા મહાન હતા.’ એમની બીજી ટિપ્પણી એ હતી કે ‘ઘણા લોકો ફ્રિડમ ઑફ એક્સપ્રેશનની વાત તો કરે છે પણ તમે જોયું હશે કે ઇમરજન્સી પર કોઈ ફિલ્મનથી બનાવી શક્યું કેમ કે સત્યને સતત દબાવવાનો પ્રયાસ થતો રહ્યો. ભારતવિભાજન પર જ્યારે અમે 14 ઑગસ્ટને એક ‘હોરર ડે’ તરીકે ઓળખાવાનું નક્કી કર્યું તો ઘણા લોકોને બહુ વાંધો પડ્યો.’
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે સંસદીય બોર્ડમાં કહેવાયેલ વડાપ્રધાનના કથનને એમના દ્વારા ગત વર્ષે પંદરમી ઓગસ્ટના રોજ લાલ કિલ્લાપરથી આપવામાં આવેલ ભાષણના પ્રકાશમાં જોઈએ તો ચીજો વધુ સ્પષ્ટ દેખાવા લાગશે. એમણે કહ્યું હતું : ‘દેશના ભાગલાનું દુ:ખક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને લીધે આપણા લાખો બહેનો અને ભાઈઓને વિસ્થાપિત થવું પડ્યું અને પોતાનો જીવપણ ખોવો પડ્યો. એ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઑગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિદિન’ તરીકે મનાવવાનો નિર્ણયકરાયો છે.
હકીકત એ છે કે ભય હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવાને લઈને નહીં બલકે એ વાત પર વિચારવાથી વધુ લાગી રહ્યો છે કે હવે જોવિભાજનની ‘વાસ્તવિકતા’ પર ફિલ્મો બનાવાશે તો એ કેવી હશે ? શું વિભાજનની શોકાંતિકા પર (‘તમસ’ સહિત) અત્યાર સુધીબનાવેલ તમામ ફિલ્મો ‘વાસ્તવિકતાઓ’થી એકદમ દૂર હતી કે પછી એમાં એ હિંદુ રાષ્ટ્રવાદનો અભાવ હતો જેને આ વખતે સૌથી વધુજરૂરી માનવામાં આવે છે ? જો એ જ સાચું હોય તો એ શક્યતા વધુ છે કે વિભાજનની વાસ્તવિકતાના વખાણ કરતી ફિલ્મોના કથાનકોપર કામ પણ શરૂ કરી દેવાયું હોય.
પાકિસ્તાનસ્થિત શીખોના પવિત્ર તીર્થસ્થળ કરતારપુર સાહેબની યાત્રા માટે ત્યારે પંજાબમાં બની રહેલ કૉરિડોરને લઈને વડાપ્રધાનેપાંચેક વર્ષ અગાઉ ગુરુ પર્વ પર ભાવના વ્યક્તિ કરી હતી કે જો બર્લિનની દીવાલ તૂટી શકતી હોય તો આ દીવાલ કેમ નહીં ? વડાપ્રધાનનો સંકેત કરતારપુર કૉરિડોર માટે પાકિસ્તાન સાથે સરહદ ઉઘાડવાને લઈને હતો પણ એનો વ્યાપક અર્થ બંને દેશો વચ્ચેવિભાજનને લીધે ઊભી થયેલ દીવાલ તોડવાની લાગણીથી પણ લેવાયો હતો. વિભાજનની વાસ્તવિકતાના ઘાને સિનેમાના પડદા પરજોવાનો અર્થ હવે એ જ સમજવામાં આવશે કે માત્ર સીમાઓ પર જ નહીં ઘરોની વચ્ચે પણ લાખો-કરોડો નવી દીવાલો ઊભી થઈ શકેછે.
અંતમાઃ વર્ષ 1947ની મુખ્ય ઘટનાઓમાં ભારતને આઝાદી મળવી તો બધાને ખબર છે પણ એક અન્ય ઘટના એ છે કે દુનિયાના સૌથીઘાતક હથિયાર AK47 ની પહેલી બેચ એના શોધક મિખાઇલ ક્લાશનિકોવે રશિયન સેનાને પોતાના હથિયારોમાં સામેલ કરવા માટેસોંપેલ, પોતાની શોધ પર આજીવન ગર્વ લેનાર ક્લાશનિકોવનું જીવનના અંતિમ દિવસો(નિધન 2013)માં હૃદય પરિવર્તન થયું અનેએમણે રશિયાના ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે:
‘મારા આત્માની પીડા અસહ્ય થઇ ગઇ છે. હું વારંવાર પોતાને જ અનુત્તરિત સવાલ પૂછું છું: ‘મેં બનાવેલ એસોલ્ટ રાઈફલથી લોકોના જીવગયા, એનો અર્થ એ કે એમના મોત માટે હું જવાબદાર છું.’
વર્ષ ૨૦૨૨ની પંદરમી ઓગસ્ટનો દિવસ બસ આવવાનો જ છે.
( मूल हिंदी आलेख का गुजराती में अनुवाद )
Comments
Post a Comment